સુલતાન અહમદશાહના કાકા ફિરોજખાન દ્વારા કરવામાં આવેલી બગાવતના ષડ્યંત્ર માં તેને તેના બીજા ભાઈઓ, અને જીવણદાસખત્રી, તથા પ્રયાગદાસ, નામના બે હિંદુ સરદારો અને માળવાના સુલતાન હૂશંગશાહનો, ભરપુર સાથ મળ્યો હતો, આ સર્વ બળવાખોરોએ એક લશ્કર બનાવીને સુલતાન અહમદશાહ સામે યુદ્ધ કરવા ખંભાત થી કુચ કરેલી આ લશ્કરે જયારે ભરૂચ ખાતે છાવણી નાખેલી અને આગળની રણનીતિ નક્કી કરવા માટે સર્વ બળવાખોરો એ મીટીંગનું આયોજન કર્યું હતું આ મીટીંગમાં સંજોગો-વસાત અંદરોઅંદર મતભેદો ઉત્પન્ન થયા હતા અમુક બળવાખોરો સુલતાન અહમદશાહ ના મહાન લશ્કર સામે ટકી નહીં શકે એવો મત વ્યક્ત કરતા હતા જેથી તકરાર થતા અંદરોઅંદર લડાઈ જામી હતી અને આ લડાઈમાં જીવણદાસ ખત્રી નું ખૂન થયું હતું અને બળવાખોરો વેર વિખેર થયા હતા તથા અમુક અમીરો સુલતાન અહમદશાહ સાથે મળી ગયા આમ છતાં બાકી રહેલા બળવાખોરોએ પોતાની બગાવત આગળ ચાલુ રાખેલી અને આ તરફ સુલતાન અહમદશાહે એક લશ્કર સાથે બળવો શાંત પાડવા માટે એ દિશામાં કુચ કરી હતી એ સમયે ભરૂચના કિલ્લા પર બળવાખોરોએ કબજો કર્યો હતો સુલતાન અહમદશાહે ભરૂચના કિલ્લા પર ઘેરો નાખ્યો હતો અને બળવો શાંત પાડવા માટે બળવાખોરોને બળવો સમાપ્ત કરવાના બાબતમાં પત્રો લખ્યા હતા જેથી બળવાખોરો સુલતાન અહમદશાહ ના શરણે આવ્યા હતા સુલતાને શરણે આવેલા તમામ બળવાખોરોને માફી આપી તથા તેઓ પ્રત્યે મહેરબાની વ્યક્ત કરી હતી અને બાદમાં અમુક અમીરોને ખિલાત આપી પોતપોતાની જાગીરમાં પરત મોકલી દીધા હતા આ ઉપરાંત સુલતાન અહમદશાહે બળવાખોરીમાં મુખ્ય રહેલા પોતાના કાકા ફિરોજખાન ને પણ માફ કરીને તેમની જૂની જાગીર વડોદરા હતી તેની જગ્યાએ નવી જાગીર નવસારી ફાળવી આપી હતી.
1 Comments
Right Information
ReplyDelete